ખારવા સમાજના પૌરાણીક અને ઇષ્ટદેવ કામનાથ મહાદેવ મંદિર ના સાનિધ્યમા ખારવા સમાજની વરણી યોજાઇ

ગીર સોમનાથ,

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા દર વષેઁ ની જેમ આ વષેઁ પણ પરંપરાગત ખારવા સમાજ ના પટેલ ની વરણી યોજાઇ હતી. જેમા છેલ્લા 18 વષઁ થી પટેલ તરીકે બિનહરીફ વરણી થતા જીતુભાઈ કુહાડા ની આ વષેઁ પણ બિનહરીફ વરણી થતા સમસ્ત ખારવા સમાજ મા આનંદની લાગણી જોવા મળી હતી. ખારવા સમાજના પૌરાણીક અને ઇષ્ટદેવ કામનાથ મહાદેવ મંદિર ના સાનિધ્યમા ખારવા સમાજની વરણી યોજાઇ હતી . વેરાવળ મા સૌથી વધુ હિન્દુ સમાજ મા ખારવા સમાજની વસ્તી આવેલી છે જેથી ખારવા સમાજ ના પટેલ જ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ હોય છે

જેમા પણ જીતુભાઈ કુહાડા દ્રારા દરેક હિન્દુ સમાજ ના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામા આવે છે . અને ખારવા સમાજ હોય કે સમસ્ત હિન્દુ સમાજમાં જીતુભાઈ કુહાડા ની યશસ્વી કામગીરી જોઇ ફરીથી આ વષેઁ પણ બિનહરીફ વરણી થતા હિન્દુ સમાજ મા પણ આનંદની લાગણી જોવા મળી હતી. ખારવા સમાજના અધ્યક્ષો ,

ચોવટીયા, બેઠકના પટેલો, બોટ એશોશીએશન, હોડી એશોશીએશન સહીત તમામ સમાજ ના આગેવાનો દ્રારા પટેલ જીતુભાઈ કુહાડાનુ ફુલહાર થી સન્માન કરાયુ હતું.

રિપોટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment